Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સોમવારથી જોડિયામાં શ્રી ગીતા જયંતિ મહોત્સવઃ ગુરૂવારે પૂ. મોરારીબાપુનું પ્રવચન

જોડીયાધામ તા. ૧પ :.. જામનગર જીલ્લાના જોડીયાધામમાં આવેલ પૂ. શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર જોડીયાધામ ખાતે પ.પૂ. શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં સંસ્થાના પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર આગામી શ્રી ગીતા જયંતિ મહોત્સવ (૪૪) મો ૧૯ ને બુધવારે ઉજવાશે માગસર એકાદશીને શ્રી ગીતા જયંતીના યુગ પર્વ દીને સવારે ૯.૩૦ વાગ્યાથી પ.પૂ. શ્રી મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ આપી કૃતાર્થ કરશે. તા. ૧૭ થી ૧૯ શ્રી ગીતા જયંતી મહોત્સવ દરમ્યાન સવારે વિશ્વ કલ્યાણ એવમ હરિ પ્રસન્નતાર્થે શ્રી ગીતા વિદ્યાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિક હોમાત્મક પાઠ અનુષ્ઠાન થશે તેમજ સંતો-કથાકારો દ્વાાર સત્સંગ પ્રવચન તા. ૧૭-૧ર-૧૮ સોમવાર સાંજે ૪ થી ૭ તા. ૧૮-૧ર-૧૮  મંગળવારે સવારે ૯ થી ૧ર તથા સાંજે ૪ થી ૭ તા. ૧૮-૧ર-૧૮ સાંજે ૪ કલાકે બ્રહ્મોચારી પૂ. શ્રી નારાયણનંદ્રજીશ્રીનું પ્રવચન છે. તેમજ તા. ૧૯ ને બુધવારને ગીતા જયંતીના પાવન યુગ પર્વે સવારે ૯.૩૦ વાગ્યાથી પૂ. મોરારીબાપુ દ્વારા ગીતા સંદેશ.

તા. ૧૮ ને મંગળવારે રાત્રે ૯ કલાકથી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સુપ્રસિધ્ધ કલાકાર શ્રીરામદાસ ગોંડલીયા અને શ્રી જીતુભાઇ દ્વારકાવાળા છે આ પુણ્ય પર્વના ઉત્સવમાં સર્વે ભાવિકોને પધારવા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે. (પ-૧ર)

(12:35 pm IST)