Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

બગસરાથી વિરપુરની પદયાત્રાનો પ્રારંભ

 બગસરાઃ અહીંથી વિરપુરની પદયાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં રઘુવંશી પરિવારનાં ૧પ૦ ની સંખ્યામાં ભાઇઓ - બહેનોને વહેલી સવારે રઘુવંશી સમાજનાં વડીલોએ લોહાણા મહાજન વાડીથી પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રા ડેરી પીપરીયા, માવજીંજવા, બાપાપુર, તોરી વિશ્રામ કરી રાત્રીનાં વડીયા શ્રી લોહાણા મહાભવાનમાં રાત્રી વિશ્રામ કરાશે. જયાંથી આવતીકાલે દેવળકી પહોંચશે. જયાં આહીર સમાજનાં અગ્રણી પરિવાર બધાનું સન્માન કરી બપોરનો પ્રસાદ લેવડાવી વિરપુર જવામાટે પ્રસ્થાન કરાવશે. પદયાત્રીકો પૂ. જલારામબાપાનાં ચરણોમાં મસ્તક ટેકાવશે. વિવિધ ગામમાં પદયાત્રીઓ સત્કારવા તૈયારી થઇ રહી છે. તસ્વીરમાં પદયાત્રામાં જોડાયેલા શ્રધ્ધાળુઓ દર્શાય છે.

(11:27 am IST)