Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

શ્રી મોટા દામોદરજી પ્રભુની હવેલી ખાતે શ્રી ગૌવર્ધન પૂજા અને શ્રી અન્નકૂટ ઉત્‍સવ મનોરથ દર્શન નું આયોજન

 (વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧૬ : ગંધ્રપવાડા વિસ્‍તારમાં આવેલ ગૌસ્‍વામી૧૦૮. નવનીતરાયજી મહારાજ ની મોટા દામોદરજી પ્રભુની હવેલી માં તા૧૮ ને શુક્રવારે ગોવર્ધન પૂજા અન્નકૂટ મનોરથ દર્શન ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

 પુષ્ટિ સંપ્રદાય હવેલીમાં નુતન વર્ષે યોજાતા ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શન નું આયોજન નો અનેરો મહિમા છે. પરંતુ આ વર્ષે ગ્રહણને લઈ દર્શન નું આયોજન કરાયું ન હતું .જેને લઈ હવે કારતક વદ ૯ ને શુક્રવારે ધર્મસભર રીતે યોજવામાં આવશે.   શુક્રવારે સવારે ૭ વાગે મંગળા દર્શન, સવારે૧૦:૩૦ વાગે ગોવર્ધન પૂજા દર્શન અને બપોરે ૪  વાગે શ્રીજીના અન્નકૂટ મનોરથના દર્શન યોજાશે.

કાર્યક્રમ અંતર્ગત ગૌસ્‍વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજશ્રી સહ પરિવાર દિવસભર હવેલી ખાતે બીરાજશે.   મોટા દામોદરજી હવેલી ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ  સર્વે વૈષ્‍ણવોને દર્શનનો લાભ લેવા મોટા દામોદરજી હવેલીની યાદીમાં જણાવ્‍યું છે.

(1:50 pm IST)