Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વાંકાનેરમાંથી મનીષા પરછોડા ચાર દિ'થી ગુમ

રાજકોટ તા.૧૬: વાંકાનેર હસનપર શકિતપરામાં રહેતી મનીષા બાબુભાઇ પરછોડા (ઉ.વ.૨૧) ચાર દિવસ પહેલા ડ્રેસ રીપેર કરાવવા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતા બાબુભાઇએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી છે. જો કોઇને આ યુવતી જોવા મળે તો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વી.એન. સારદીયા મોબાઇલ નં. ૮૨૬૪૨૩૫૭૩૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:41 pm IST)