Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગોંડલ કૈલાશબાગ અવધ ગ્રુપ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી

ગોંડલ : કૈલાશ બાગ ખાતે આવેલ અવધ ગ્રુપ ગરબી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષેથી નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક અને ઉત્સાહભર ઉજવાય ગયેલ નવલા નોરતા દરમ્યાન નવ દિવસ અવધ ગ્રુપ ગરબી મંડળની બાળાઓએ અવનવા રાસ રમીને તમામનાં દિલ જીતી લીધા હતાં. દરરોજ અલગ અલગ વૈવિધ્યપૂર્ણ ગરબા રમીને નવરાત્રી પર્વને માણ્યો હતો. શરદ પૂનમના દિવસે રાત્રે લ્હાણી વિતરણ કરવામાં આવેલ જેમાં મહાનુભવોના હાથે રમેશભાઇ ધડુક સાંસદ પોરબંદર, અશોકભાઇ પીપળીયા નગરપતિ નગરપાલીકા, ગૌરાંગ મહેતા પત્રકાર, ઓમદેવસિંહ પી. જાડેજા, વિરોધ પક્ષ નેતા નગરપાલીકા ગોંડલ, ધારાસભ્યના પ્રતિનિધી તરીકે ગણેશસિંહ જાડેજા, રામાનુજ પી. આઇ. ગોંડલ સીટી પોલીસ, લક્ષ્મણભાઇ પટેલ ઉદ્યોગપતિ સહિતના ઉપસ્થિત રહેલ હતા જેમાં એક દિકરીને ૩પ ગીફટ આપવામાં આવેલ. અવધ ગ્રુપ ગરબી મંડળના કાર્યકરોએ નવ દિવસ સેવા આપેલ જેમાં હિતેશભાઇ રાવલ, નયનાબેન રાવલ, ડો. સુતરીયા, નલીનભાઇ સોની, અરવિંદભાઇ મોનપરા, રામભાઇ જેઠવાણી, મીતુભાઇ રૈયાણી, રાજૂભાઇ પરમાર સહિતએ તન-મન-ધનથી કૈલાશબાગ વિસ્તારના લોકોએ આભાર વ્યકત કરેલ હતો. (તસ્વીર - અહેવાલ : જયસ્વાલ ન્યુઝ ગોંડલ)

(11:51 am IST)