Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામકંડોરણામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે લોકાર્પણ

જામકંડોરણા :  તાલુકામાં જુની ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનો સમય પૂર્ણ થઇ જતાં નવી ૧૦૮ વાન ફાળવવામાં આવેલ, જામકંડોરણા તાલુકાના લોકોને આરોગ્યની સુખાકારી માટે સરકારશ્રી દ્વારા નવી અદ્યતન સુવિધા સાથેની ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવેલ. આ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો જામકંડોરણા ખાતે અન્ન અને નાગરીક પુરવઠા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચોૈહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ બાલધા, સરપંચ જશમતભાઇ કોયાણી, ગોૈતમભાઇ વ્યાસ, રમેશભાઇ બાલધા, કાનજીભાઇ પરમાર સહિતના આગેવાનો તેમજ ૧૦૮ ના સ્ટાફે હાજરી આપી હતી. (તસ્વીર-અહેવાલ મનસુખભાઇ બાલધા જામકંડોરણા)

(11:51 am IST)