Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ધોળકાની રાય યુનિવર્સિટીના 150 વિદ્યાર્થીઓનું ઉપવાસ આંદોલન

:શિક્ષણમંત્રીએ આવેદન ના સ્વીકાર્યું પણ આશ્વાસન આપ્યું

ધોળકાની રાય યુનિવર્સિટીના 150 વિદ્યાર્થી ઉપવાસ પર બેઠા છે. રાય યુનિવર્સિટીના ગેટ આગળ ઉપવાસ પર બેઠા છે. એગ્રીકલ્ચરની ડીગ્રી સરકાર માન્ય ન હોવાથી અગાઉ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા કોર્ટમાં વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આ પરીક્ષા લેવા પર સ્ટે મુકાયો હતો. તેમ છતાં કાલે 16 તારીખે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા છે. વીરપુર ગામે એક કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિહ ચુડાસમા આવ્યા હતા. ત્યાં જઈ વિદ્યાથીઓએ આવેદનપત્ર આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ  આવેદનપત્ર સ્વીકાયુ નહોતું  પરંતું વિદ્યાર્થીઓને આશ્વસન આપ્યું હતું.

(11:39 am IST)