Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

શાપરમાં વણકર વૃધ્ધા રામુબેન રાઠોડનો બિમારીથી કંટાળી સગળી જઇ આપઘાત

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળમાં વિકાસ સ્કૂલ પાછળ સિધ્ધાર્થનગરમાં રહેતાં રામુબેન પિતાંબરભાઇ રાઠોડ (ઉ.૮૦) નામના વૃધ્ધાએ રક્ષાબંધનને દિવસે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી કાગળો શાપર પોલીસને મોકલ્યા હતાં. આપઘાત કરનાર રામુબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેઓ ગિરીશભાઇ સાથે રહેતાં હતાં. સવારે પુત્ર અને પુત્રવધૂ શાંતિબેન રાખડી બાંધવા ગયા હતાં. ત્યારે ઘરે એકલા રામુબેને માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું તેમના સ્વજનોએ જણાવ્યું હતુંઉ

(1:24 pm IST)