Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સુરેન્દ્રનગરના દેદાદરાના પાટીયા પાસે એસ.ટી. બસ અને મેટાડોર વચ્ચે અકસ્માત : ૫૦ મુસાફરોનો બચાવ

ડ્રાઇવર નશો કરીને બસ ચલાવતા મુસાફરોમાં રોષ

વઢવાણ તા ૧૬  : સુરેન્દ્રનગરના દેદાદરા ગામના પાટીયા પાસે નજીક બન્યો છે. આ બનાવની  પ્રાપ્ત વિગતમુજબ સુરેન્દ્રનગરના દેદાદરા ગામના પાટીયા નજીક જોડીયા અમદાવાદ જતી એસ.ટી.બસ અને ૪૦૭ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ૫૦ થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કેફી પીણાના નશામાં એસ.ટી. બસનો ડ્રાઇવર બસ ચલાવતો હોવાથી સ્ટેયરીંગ પર કાબુ  ગુમાવતા આગળ જઇ રહેલા ૪૦૭ની પાછળ અથડાતા મુસાફરોમાં બુમરાડો મચી ગઇ હતી.

આ અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને એસટી બસના ડ્રાઇવરે કેફી પીણુ પીને બસ ચલાવતો હોવાની જાણ મુસાફરોને થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

(1:21 pm IST)