Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મોરબીમાં વૃદ્ઘ નરેન્દ્રભાઇ રાઘોડીયાને બે શખ્શોએ માર માર્યો

પ્રફુલ અઘારા અને હિતેન અઘારા સામે ગુનો

મોરબી, તા.૧૬: મોરબીના સરદાર બાગ નજીક બે શખ્શોએ વૃદ્ઘને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા નરેન્દ્રભાઈ લાલજીભાઈ રાદ્યોડીયા (ઉ.વ.૬૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વૃદ્ઘ  દુકાન નજીક ખુલ્લી જગ્યામાં પેશાબ કરવા માટે ગયેલ જે બાબતે બોલાચાલી કરી ગાળો બોલીને આરોપી પ્રફુલ લાલજી અદ્યારા અને હિતેન લાલજી અદ્યારા (રહે બંને પીજી કલોક સામે મોરબી) એ તેને માર મારી પછાડી દઈને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(1:18 pm IST)