Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જુનાગઢ ગિરનાર સાધના આશ્રમની મુલાકાતે પૂ. રમેશભાઇ ઓઝા

 જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત ગિરનાર સાધના આશ્રમની ગઇકાલે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ મુલાકાત લીધી હતી. દરમ્યાન પુનિતાચાર્યજી, પૂ. ભાઇશ્રીનું ઉપવસ્ત્ર ઓઢાડી શાસ્ત્રોકત વિધી સાથે સન્માન કર્યુ હતું. આ તકે શૈલજાદેવી તેમજ પૂ.ભાઇશ્રી સાથે સેવકો ભાઇશંકરભાઇ જોષી, હાર્દિકભાઇ જોષી, પ્રવિણભાઇ દવે, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. પૂ. ભાઇશ્રીએ આશ્રમની પ્રવૃતિ નિહાળી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:43 am IST)