Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મોરબી, હળવદ અને વાંકાનેરમાં વધુ છ પોઝીટીવ કેસ : કુલ કેસનો આંક ૧૫૬

હળવદમાં વધુ એક મૃત્યુ સાથે જીલ્લાનો કુલ મૃત્યુઆંક ૯ થયો

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આજે મોરબી જીલ્લાના મોરબી, હળવદ અને વાંકાનેર પંથકમાં વધુ છ કેસો સાથે કુલ આંક ૧૫૬ થયો છે તો ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે એક દર્દીનું મોત થયું છે

મોરબી જીલ્લામાં આજે હળવદના વાણીયાવાડના રહેવાસી ૬૫ વર્ષના પુરુષ, વાંકાનેરની અરુણોદય સોસાયટીના ૬૦ વર્ષની મહિલા, મોરબીના કાયાજી પ્લોટ રવાપર રોડના રહેવાસી ૫૧ વર્ષના પુરુષ, મોરબીના શિવનગરના ૩૨ વર્ષના પુરુષ, પંચવટી, વોડાફોન શોપ પાસે, શનાળા રોડ મોરબી ખાતેના ૫૧ વર્ષના પુરુષ અને કાયાજી પ્લોટ રવાપર રોડ મોરબીના ૭૦ વર્ષના પુરુષ એમ છ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

તો વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે જયારે હળવદના ધનાળા ગામના વૃદ્ધનં મૃત્યુ થયું છે મોરબી જીલ્લામાં કુલ ૮૪ એક્ટીવ કેસ છે તો અત્યાર સુધીમાં કુલ ૬૩ દર્દી સ્વસ્થ થયા છે અને કુલ નવ દર્દીના મૃત્યુ થયા છે કુલ કેસનો આંક ૧૫૬ થયો છે

(1:22 am IST)