Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હવે અંજારમાં કોરોના બ્લાસ્ટ ૮ કેસ :અન્ય ૩ સહિત આજે ૧૧ કેસ : કચ્છમાં કુલ દર્દીઓનો આંકડો 288

કચ્છને કોરોનાનો ભરડો, ભુજ, ગાંધીધામ પછી અંજારમાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો

ભુજ :  કચ્છમાં કોરોનાનો ભરડો દિવસો દિવસ વધી રહ્યો છે. આજે ૧૧ દર્દીઓ સાથે કોરોનાના કેસનો આંક ૨૮૮ પર પહોંચ્યો છે. બે દિવસ ગાંધીધામ, ભુજમાં ફફડાટ મચાવનાર કોરોનાએ આજે ૮ કેસ સાથે અંજારને ફફડાવી નાખ્યું છે. અંજાર શહેરમાં ૬ કેસ અને તાલુકાના ગામ મેઘપર બોરીચી તેમ જ વીડીમાં એક એક કેસ નોંધાયો છે. તો ગળપાદર (ગાંધીધામ), ભચાઉ અને રાપરમાં પણ એક એક કેસ સાથે આજે ૧૧ કેસ થયા છે. કચ્છમાં આજ સુધીની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે. કુલ દર્દીઓ ૨૮૮, હોસ્પિટલમાં દાખલ ૯૧, સાજા થયેલા ૧૮૪ અને મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧૩ છે.

(8:32 pm IST)