Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વિરપુરમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાએ વરસાદી હેત વરસાવ્યુ હતું, એક દિવસના વિરામ બાદ આજે બપોરના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, ધોધમાર વરસાદને લઈને યાત્રાધામ વીરપુરના મુખ્ય રોડ રસ્તા પાણી પાણી થયા હતા અને મુખ્ય બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેમ વરસાદ પાણી વહી રહ્યા હતા,વિરપુર ગામનો ગુરુકુળ જવાનો અને હાઈવ પર જવાના રસ્તામાં નદીની જેમ વરસાદી પાણી ફરી વળતાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખેડૂતો અને રાહદારીઓને  મુશ્કેલીઓ સર્જાઈ હતી તેમજ મેઘરાજાએ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસાવતા યાત્રાધામ વિરપુરમાં અંદાજે સવા ઇંચ થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય બફારા અને ગરમીથી રાહત થઈ હતી.  (તસ્વીરઃ કિશનસિંહ મોરબીયા વીરપુર)

(1:00 pm IST)