Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગોંડલમાં શહિદ યાત્રાનું પાટીદારો દ્વારા સ્વાગતઃ

ગોંડલ અહીંયા પાટીદાર સમાજ દ્વારા શહિદ યાત્રાનું હારતોરા સાથે સ્વાગત કરાયું હતું. યાત્રા રાજમાર્ગો પર ફરી હતી, શહિદ યાત્રાને દિલીપભાઈ છાબવા, જતીન પટેલ તેમજ સુરેશ પટેલ દ્વારા સમસ્ત ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ફેરવવામાં આવી રહી છે, યાત્રા દ્વારા સરદાર ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. આ તકે ગોંડલ પાસ કન્વીનર મહેશભાઈ ખુંટ, રાજુભાઈ સોજીત્રા, બીપીનભાઈ વાછાણી, મિલનભાઈ પટેલ, યજ્ઞેશ ભાઈ પટેલ સહિતના બહોળી સંખ્યામાં પાટીદાર ભાઈઓ ઉમટી પડયા હતા. યાત્રાને ગોંડલ ના રાજમાર્ગો પર ફરી મોવિયા ખાતે રવાના થઈ હતી. અત્રે નોંધનીય છે કે, આજે સાંજે શહિદ યાત્રા રાજકોટ ખાતે આવી પહોંચશેેે. તસ્વીરમાં ગોંડલ ખાતે શહિદ યાત્રાનું સ્વાગત થતું દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી. ગોંડલ) (૨૩.૬)

 

(12:07 pm IST)