Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જામનગરના વાવડીમાં માવતરે આવેલ મહિલાને ભાભી સાથે ઝઘડો થતા એસીડ પીને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા પમીબેન છગનભાઈ આલાભાઈ ટોયટા, ઉ.વ.૪૦ વાળા એ જોડીયા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪-૪-ર૦ર૪ના મરણજનાર મધુબેન લાલાભાઈ પાંચાભાઈ રાતડીયા, ઉ.વ.રર, રે. ઈટાળા ગામ, તા.ધ્રોલ, જિ.જામનગરવાળા પોતાના માવતરે પ્રસંગમાં આવતા તેમના ભાભી સાથે બોલાચાલી થતા જે બાબતનું મનમા માઠુ લાગી આવતા મરણજનાર મધુબેને પોતે પોતાની જાતે એસીડ પી જતા મરણ થયેલ છે.

મોટરસાયકલને હડફેટે લેતા મોત

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં રાજેશભાઈ દિલીપભાઈ પરમાર, ઉ.વ.૩પ, રે. મોરકંડા ગામ, જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦ર૪ના મોખાણા ગામ, હનુમાનજી મંદિર પાસે આરોપી અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલકે પોતાની ફોરવ્‍હીલ બેફીકરાઈથી ગફલતભરી રીતે પુરઝડપે ચલાવી ફરીયાદી રાજેશભાઈની મોટરસાયકલ સાથે અથડાવીને ફરીયાદી રાજશેભાઈને ગંભીર ઈજા કરી તેમજ મરણજનાર ફરીયાદી રાજેશભાઈના ભાણેજ મનીશભાઈના ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

પુત્રીને મરી જવા મજબુર

કરતા જમાઈ સામે ફરીયાદ

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં સેરૂભાઈ રડુભાઈ માવડા, ઉ.વ.પર, રે. પીપરીયા પાની ગામ, તા.કુકસી થાન બાગ, જી. ધાર એમ.પી.વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૪-ર૦ર૪ના ફરીયાદી સેરૂભાઈની દિકરી ધનુબેન ઉર્ફે સંગીતાબેનને પોતાના લગ્ન જીવન દરમ્‍યાન આરોપી કમલેશભાઈ જ્ઞાનસિંહ મિનાવા એ અવાર નવાર શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ફરીયાદી સેરૂભાઈની દિકરી ધનુબેનને મરી જવા માટે મજબુર કરતા ફરીયાદી સેરૂભાઈની દિકરી ધનુબેને પોતાના બાળકો સાથે સાહેદ રસીક દામજીભાઈની વાડીએ પાણી ભરેલ કુવામાં કુદી જઈ પાણીમાં ડુબી મરણ જવા મજબુર કરી ગુનો કરેલ છે.

(1:18 pm IST)