Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મીઠાપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્‍મજયંતિની ઉજવણી

મીઠાપુરઃ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ ની જન્‍મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં રક્‍તદાન શિબિરમાં કુલ ૧૩૩ જેટલી રક્‍ત બોટલો એકત્રિત કરાઈ હતી. સાથે સાથે તે દિવસે જ રાત્રે આયોજિત ભવ્‍ય દાંડિયારાસમાં મોટી સંખ્‍યા માં અનુસુચિત સમાજનાં લોકો એ જોડાઈ બાબાસાહેબ નાં ગુણ ગાન નો આનંદ જાણીતા કલાકારો દ્વારા માણ્‍યો હતો. ત્‍યારબાદ ૧૪ની તારીખે સાંજે યોજવામાં આવેલ ભવ્‍ય શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્‍યામાં આ સમાજનાં લોકો સહર્ષ જોડાયા હતા. ડી જેનાં સથવારે અને ભારે આતીશબાજી થી વાજતે ગાજતે આ શોભાયાત્રા મીઠાપુર અને સુરજકરાડીનાં રાજમાર્ગો પર થી પસાર થઈ મીઠાપુરમાં આવેલ ઝંડા ચોક માં સમાપન થઈ હતી. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. (તસ્‍વીર-અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:23 am IST)