Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મોરબીમાં પ્લાયવુડની દુકાનમાં આગઃ ટીખળખોરોએ આગ લગાડ્યાની શંકા

મોરબીઃ બંધુનગર પાસે આવેલી પ્લાયવુડ દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી જેની જાણ થતાં મોરરબી ફાયર વિભાગના વિનય ભટ્ટ, જયપાલ જાડેજા, કિશન ભટ્ટ, ઉત્પલ બારોટ અને કાર્તિક ભટ્ટ સહિતના બે ફાયર ફાઇટરો સાથે દોડી ગયા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર વહેલી સવારે કાબુ મેળવ્યો હતો અને પણ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આગ મોડી રાત્રે લાગી ત્યારે ત્યા બેઠેલા સીક્યુરીટી ગાર્ડે જાણ કરી હતી અને રાત્રે પણ કોઇ ટીકળખોરે આગ લગાવ્યાનો પ્રયાસ કર્યો હોવાનું આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે પણ સદ્નસીબે કોઇ જાનહાની નથી આગના લીધે દુકાનમાં રહેલો માલ બળીને ખાખ થઇ ગયો હતો.

(2:02 pm IST)