Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જુનાગઢ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજીની તબીયત ગંભીરઃ સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ

બે દિવસ પહેલા તબીયત લથડિયા બાદ બ્રેઇન ઉપર સ્ટ્રોકઃ ડો. ચિરાગ માત્રાવાડીયા અને ડો. સંજય ટીલાળા દ્વારા સારવાર

રાજકોટ તા. ૧૬ : જૂનાગઢ પુષ્ટી સંપ્રદાયના પૂ.પા.ગૌસ્વામી આચાર્યશ્રી શ્રી વિઠ્ઠલનાથજીની તબિયત અચાનક લથડતા રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે ગંભીર હાલતમાં ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. પૂ.પા. ગૌસ્વામી આચાર્યશ્રી શ્રી વિઠ્ઠલનાથજીની તબિયતને લઇ વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતા પ્રસરી છે.

પુષ્ટી સંપ્રદાયના પૂ.પા. ગૌસ્વામીશ્રી આચાર્યશ્રી વિઠ્ઠલનાથજી મંગળવારે જૂનાગઢ ખાતે હવેલીમાં તેમના નિવાસસ્થાને હતા ત્યારે આચાનક તબિયત લથડી હતી. શ્રી વિઠ્ઠલનાથજીને બેસુધ્ધ હાલતમાં સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડયા હતા ત્યાં ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા અને ડો. ચિરાગ માત્રાવાડીયાએ ઘનિષ્ઠ સારવાર આપી રહ્યા છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ડો. ચિરાગ માત્રાવાડીયાએ જણાવ્યું છે કે, શ્રી શ્રી વિઠ્ઠલનાથજીની તબિયત ગંભીર છે. તેમને બ્રેઇન હેમરેજ થયું છે. આઇસીયુમાં સારવાર હેઠળ છે.(૨૧.૧૫)

 

(12:10 pm IST)