Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ગોંડલ કૈલાસબાગમાં ધર્મ પારાયણ

ગોંડલઃ કૈલાશબાગ ખાતે અવધ સોશિયલ ગ્રુપના સહયોગથી તથા ચીભડીયા બ્રહ્મસમાજના સહયોગથી એક ધર્મ પારાયણનું આયોજન કરેલું હતું. જેમાં આપણા વૈદિક સનાતન ધર્મની જાળવણી અર્થે સ્થાપિત સદ દર્શન આશ્રમ મુવાડા રોડના સ્વામીની માતાજી દ્વારા ખુબજ સરળ ભાષામાં વ્યાખ્યાનો તથા સત્સંગ દ્વારા ભકતજનોને સીધી અને સરળ ભાષામાં શાસ્ત્રોની સમજણ આપી હતી તો આ તકે બહોળી સંખ્યામાં ભકતજનોએ લાભ લીધો હતો. આ તકે માતાજી દ્વારા અવધ ગ્રુપ તથા ચીભડીયા બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઇ રાવલનું માતાજી દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયા હતા (તસ્વીરઃ અહેવાલ-જયસ્વાલ ન્યુઝ-ગોંડલ)

(11:56 am IST)