Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોરબીમાં થોરાળા સોશ્યલ ગ્રુપનો સન્માન સમારોહ ધારાસભ્ય બ્રીજેશ મેરજાનું સન્માન

ઉદ્યોગપતિ કચરાબાપા અંબાણીના હસ્તે દીપપ્રાગટયઃ દાતા પરિવારનું સન્માન

મોરબીઃ થોરાળા ગામના ઉમીયા પરીવારો શહેરમાં વસે છે. તે લોકોનો શનાળા પટેલસમાજ વાડી ખાતે પ્રથમ સ્નેહમીલન કાર્યક્રમ યોજાઓ હતો. થોરાળાના ઉદ્યોગપતિ કચરાબાપા અંબાણી દ્વારા દીપ પ્રાગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે થોરાળા એ મારા  વડવાઓનું ગામ છે. અને સમાજના લોકો ભેગા થઇ સમાજ ઉથ્થાન માટે કોઇ કાર્ય કરે તો તેમા મારો કાયમી સહયોગ રહેલો હોય છે. દાતા કુટુંબનું તેમજ મહાનુભાવોનું સાલ ઓઢાડી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તસ્વીરમાં સન્માનીત આગેવાનો નજરે પડે છે.

(9:59 am IST)