Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જુનાગઢના રૂપાયતન બાલભવનમાં કાલે આકાશ દર્શન

સૌરાષ્ટ્ર એજયુ. ફાઉન્ડેશન લોકવિજ્ઞાન કેન્દ્ર -રાજકોટ દ્વારા

જુનાગઢ, તા. ૧પ : અહીંયા સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશનના લોક વિજ્ઞાન કેન્દ્રની બીગ બેગ એસ્ટ્રોનોમી કલબ રાજકોટ દ્વારા રૂપાયતન બાલભવનના સહયોગથી રૂપાયતન સંસ્થા ગીરી તળેટી ભવનાથ ખાતે આવતીકાલે શનિવારે રાત્રીના ૮:૩૦ થી ૧૦:૦૦ દરમિયાન આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાશે.

જેમાં એસ્ટ્રોનોમી કલબના વિશાળ અને અદ્યતન ખગોળીય ટેલીસ્કોપ વડે ઉંડા અંતરીક્ષની અજાયબીઓ બતાવવામાં આવશે. સાથોસાથ નરી આંખે દેખાતા તારા મંડળો, નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવશે. રસ ધરાવતા વિજ્ઞાન પ્રેમીઓએ સમયસર ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે.

(1:16 pm IST)