Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અમરેલીમાં રવિવાર બજારને ગાંધીબાગ સામે ખસેડાશે

અમરેલી, તા. ૧પ :  હાલમાં દર રવિવારે અમરેલીના મેઇન રોડ પર અને ટાવર રોડથી માંડીને લાઇબ્રેરી રોડ પર રવિવારી બજાર ભરાય છે જેમાં સસ્તા ભાવે જુના કાપડાથી માંડીને ચીજોનું વેચાણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદો માટે ઉમટી પડે છે. પણ રોડની બન્ને સાઇડમાં વેપારીઓનાં જમેલાથી વાહન તો ઠીક પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેથી આ બજારના સ્થળાંતર માટે વિચરણ ચાલુ છે. અગાઉ કામનાથ નજીક સ્થળ નક્કી કરાયું હતું પણે તે શહેરથી દૂર છે. લોકોને શહેરના મુખ્ય વિસ્તારમાં જ ખરીદીની સુવિધા મળી રહે તે માટે આ રવિવારે બજારને ગાંધીબાગની સામે બનાવાયેલા ડો. જેવરાજ મહેતા પાર્કિંગ પ્લોટના સ્થળે ખસેડવા માટે આયોજન ચાલી રહ્યું છે.

(1:09 pm IST)