Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચોટીલા પંથકમાં ગેરકાયદે બાંધકામ સંદર્ભે ર૮ આસામીઓને નોટીસ

વઢવાણ, તા., ૧૫: ચોટીલા સહીત પંથકમાં ર૮ જેટલા આસામીઓને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગેરકાયદે બાંધકામ સંદર્ભે અપાયેલ નોટીસમાં પાળીયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતા ર૩ અને રાજકોટ હાઇવે ઉપરની પ હોટલના માલીકોને નોટીસો આપવામાં આવતા ફફડાટ વ્યાપેલ છે.

આ અંગે પી.ેઆર.સિંધવે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએથી નોટીસ પાઠવી આધાર પુરાવાઓ રજુ કરવા લેખીતમાં જણાવાયંુ છે. તેમજ સ્થાનીક અને તાલુકાના અધિકારીનો અહેવાલ માંગેલ છે.

(12:21 pm IST)