Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સુરેન્‍દ્રનગરમાં ટ્રાફિકને નડતરરૂપ ત્રણ લારી ધારકો સામે ફરિયાદ

વઢવાણ તા.૧પ : સુરેન્‍દ્રનગર શહેરમાં ટ્રાફિક દિવસે-દિવસે વધતો જઇ રહ્યો હોવાથી ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવવા પીએસઆઇ જે.ડી.કરંગીયા સહિતના સ્‍ટાફે પેટ્રોલીંગ કરીને મોટી શાકમાર્કેટ પાસે મનસુખભાઇ પ્રભુભાઇ ખાંદેલા, ટાંકી ચોક પાસે મનીષભાઇ લાભુભાઇ કઠેસીયા અને જયંતભાઇ સવજીભાઇ દેવીપુજક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે લારી ઉભી રાખી ધંધા કરતા હોવાનુ ધ્‍યાને આવતા ત્રણેય શખ્‍સો સામે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બી.સી.ગામેતીએ કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)