Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કાલે બગસરામાં હસુમુની મહારાજની સ્મૃતિમાં અંકાઇ ઓચ્છવ કાર્યક્રમ

કટાર લેખક જય વસાવડા તથા ગાયક કૌશિક મહેતા ઉપસ્થિત રહેશે

બગસરા તા.૧પઃ બગસરામાં જૈન સંત હસુમુની મહારાજના થયેલા કાળધર્મ બાદ તેમના ૭૫માં જન્મદિવસ નિમિતે તેમને સ્મરણ કરવા બગસરામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

બગસરા જેમની જન્મભૂમિ છે તેવા તા.૧૬ નવેમ્બરના રોજ સમાધિ ભાવે કાળધર્મ પામેલા જૈન સંત હસુમુની મહારાજના ૭૫માં જન્મદિવસે બગસરાના વિકાસમાં તેમણે આપેલા યોગદાનને સુર, શબ્દ અને ભાવના ત્રિવેણી સંગમ રૂપે સ્મરણ કરવા માટે બગસરામાં કાલે તા.૧૬ને શનિવારે પટેલવાડી ખાતે મોહનભાઇ ડાયાભાઇ લોક કલ્યાણ ટ્રસ્ટ, રફાળા દ્વારા અંકાઇ ઓચ્છવ કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કટાર લેખક જય વસાવડા તથા ગાયક કૌશિક મહેતા ઉપસ્થિત રહી સંત હસુમુની મહારાજના લોકકાર્યોને સ્મરણાંજલી અર્પણ કરશે. તેમજ બગસરા શહેર પ્રત્યે તેમના સ્નેહના સ્મરણો વાગોળવા માટે બગસરા તાલુકાના સર્વ પ્રજાજનોને ઉપસ્થિત રહેવા મોહનભાઇ ડાયાભાઇ લોક કલ્યાણ ટ્રસ્ટ, રફાળાના પ્રમુખ સવજીભાઇ વેકરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:53 am IST)