Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

તળાજાના દિહોરમાં વિજપોલ તૂટતા મોટા અકસ્‍માતનો ભય

ભાવનગર, તા. ૧૫ :. દિહોર ગામના ઘોપલ ચોક કે જ્‍યાં ત્રણ રસ્‍તાઓ ભેગા થાય છે. તે ચોકમાં આવેલ વિજપોલને વાહને ઠોકર મારતા વિજપોલને નુકશાન થવા પામેલ. જેને લઈને વિજતંત્ર દ્વારા યોગ્‍ય મરામત કરવાના બદલે થૂંકના સાંધા કરી જતા રહેતા સ્‍થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે.

ગ્રામજનોના કહેવા પ્રમાણે ગામની એલ.ટી. લાઈનમાંથી પસાર વિદ્યુત થતો હોય અને વાયરો ફેલાયેલ હોય આ વિસ્‍તારમાં આવેલ દુકાનો, સાંજે ભરાતી શાકમાર્કેટ, વસાહતોના લોકોને નુકશાનીનો ભય રહેલો છે. ગ્રામજનોની માગણી છે કે, વિજપોલ નવો નાખી તમામ વાયરીંગ મજબુત કરવામાં આવે.

(10:14 am IST)