Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જયેશ રાદડીયાએ જલારામ બાપાના દર્શન કર્યા

 વીરપુર : જેતપુર જામકંડોરણા બેઠકના ભાજપના ઉમેવાર જયેશભાઈ રાદડીયા પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા વિરપુર દર્શન કરવા આવી પહોંચ્‍યા હતા ત્‍યારે તેમને જણાવ્‍યું હતું કે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂજ્‍ય જલારામ બાપાના દર્શન કરીને આશીર્વાદ લેવા આવ્‍યો છું અને કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કરીને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ઉલ્લેખનીય છેકે આ વખતે જેતપુર જામકંડોરણા ૭૪ બેઠક પર ચાર પાખીયો જંગ છે ત્‍યારે જેતપુર જામકંડોરણા ૭૪ બેઠકના ભાજપના ઉમેવાર જયેશ રાદડીયાએ ૫૦૦૦૦ કરતા પણ વધુ બહુમતી થી જીતવાનો દાવો કર્યો હતો.

(1:16 pm IST)