Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સાવરકુંડલા ખાતે પૂ.સ.ગુ.સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની ૫૯૪મી ઘરસભા

સાવરકુંડલાઃ શહેરને આંગણે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૫૯૪મી ઘરસભા વકતા ૅં પૂ.સ.ગુ.સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ની પાવન ઉપસ્થિતિમાં  ૫૯૪મી ઘર સભાનું ભોજલરામ પટેલવાડી વજલપરા નેસડી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આતકે ઉપસ્થિત પૂ.શા.શ્રી નિર્લેપસ્વરૂપદાસજી સ્વામી(શ્રી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા) પૂ.શા.શ્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી (શ્રી  સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા) તથા સરધાર ધામથી પધારેલ પૂજય સંતો અને આ ઘરસભાના યજમાન સુરેશભાઈ ભાદાભાઇ પાનસુરીયા(ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપ અમરેલી) તથા સમસ્ત સાવરકુંડલા શહેર અને તાલુકા સર્વે સત્સંગી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પૂ.સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્યની કથાનું રસપાન કરાવી સર્વે સત્સંગીઓને ભગવાન શ્રી સ્વામિનારાયણના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવી. સાવરકુંડલા શહેરના અને તાલુકાના સર્વે સત્સંગી ભાઈઓને સરદાર ધામના આંગણાને ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

(12:24 pm IST)