Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મેંદરડામાં જલારામ જયંતિની શોભાયાત્રા

મેંદરડા : જલારામ જયંતિ ઉજવણી કરવામાં આવી જેમાં સવારે ૮ વાગ્યે જલારામ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યુ હતું જે મુખ્ય માર્ગ ઉપર કરી હતી. બપોરે લોહાણા મહાજન વાડીએ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું સાંજે ૭ વાગ્યે ખીચડી પ્રસાદનું તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ ગરબાનું આયોજન કરાયુ તેમજ આ તકે લોહાણા સમાજે દુકાનો - ધંધા બ઼ધ રાખી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. પ્રમુખ રાજુભાઈ વિઠ્ઠલાણી,  પપ્પુભાઈ, કનાભાઈ, રમેશભાઈ, વિપુલભાઈ કેતન પોબારી, રોકી ઉનડકટ, અંકિત, પુનિત, ચંદુભાઈ ઉનડકટ, પીન્ટુભાઈ, મુન્નાભાઈ, પંકજ, સુરેશભાઈ નીકુંજ પોપટ, સુરેશ પોપટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા નીકળી તે તસ્વીર. (તસ્વીર : ગૌતમ જે શેઠ, મેંદરડા)

(12:25 pm IST)