Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જસદણના કનેસરા ગામે હરીયાણી પરિવાર દ્વારા કાલે વિષ્ણુ મંડપ

સંત સામૈયા-મહાપ્રસાદ-સંતવાણી

રાજકોટઃ કનેસરાવાળા સાધુશ્રી ઘનશ્યામદાસજી પરશુરામજી હરીયાણી તથા સાધુશ્રી વિનુદાસજી પરશુરામજી હરીયાણી તેમજ મોહિતદાસજી ગોપાલદાસજી હરીયાણીની યાદી મુજબ સંતશ્રી પરશુરામજી ઓધવજીદાસજી હરીયાણી અને તા.૫ના રોજ વેૈકુંઠવાસ ગમન કરેલ છે. તૃપ્તિના આત્માના કલ્યાણઅર્થે શ્રી વિષ્ણુ મંડપ આવતીકાલે શુક્રવારે તા.૧૬ના રોજ રાખેલ છે. સ્થંપ સ્થાપના સવારે ૮ કલાકેે, સંત સામૈયા સાંજે ૫ કલાકે, બાદ મહાપ્રસાદ શરૂ થશે. સંતવાણી રાત્રીના ૧૦ વાગ્યાથી રાખેલ છે. સ્થળઃ મુ. કનેસરા, તા.જસદણ, જી. રાજકોટ (મો.૯૪૨૭૨ ૫૫૪૪૩)

(12:08 pm IST)