Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લાઠીના દહીથરા ખાતે માતુશ્રી જયાબેનની સ્મૃતિમાં પરિવારની ઉદાર સખાવત

દામનગર તા.૧પઃ સ્વ.માતુશ્રી જયાબેન  વાવીયાના જીવનના વિચારોને જીવંત રાખવા તેમના પરિવારના પુત્રોએ માતુશ્રીને પસંદ એવી સખાવતની પ્રવૃતિ તેમની સ્મૃતિમાં કરીને માતુશ્રીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વ.જયાબેનના પુત્રો ચેતનભાઇ અને હિરેનભાઇ સહિતના પરિવારો દહિથરા ગામે શાળાના બાળકોને વોટર કુલર, સાઉન્ડ સીસ્ટમ, અબોલ જીવો માટે કાયમી તીથી નિમીતે ચારાની વ્યવસ્થા તથા ગામને ધુવાડાબંધ જમાડી સેવા કાર્યો કર્યા હતા.

આ ઉપરાંત વાવીયા પરિવારે અલખધણી ગૌશાળામાં અઢી લાખનું અબોલ જીવો માટે દાન આપેલ હતુ. આ પ્રસંગે વાવીયા પરિવારના છગનભાઇ વલ્લભભાઇ વાવીયા, ચેતનભાઇ વાવીયા, ઉમેશભાઇ વાવીયા, હિરેનભાઇ વાવીયા હાજર રહ્યા હતા.

(1:26 pm IST)