Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભાણવડના પત્રકાર પર હુમલા પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર

ખંભાળીયા, તા. ૧પ : તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે પત્રકાર હિતેન્દ્રસિંહ જાડેજાને ભાણવડના એક ખાનગી શાળાના સંચાલકે ગાડી ફેરવી દેવાનું કહીને હુમલો કર્યો હતો જે બનાવના ૧૦ દિવસ પછી પણ આરોપી ના પકડાતા દેવભૂમિ જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદને દ્વારકા જિલ્લાના પત્રકારોએ સામૂહિક રીતે આવેદનપત્ર આપી પગલા ભરવાની માંગ કરી હતી.

એસ.પી. રોહન આનંદે પત્રકારોની રજૂઆતો સાંભળીને કડક પગલા લેવા ખાતરી આપી હતી તથા પત્રકારોને કોઇ બાબતે કોઇપણ અસામાજિક તત્વની બીક હોય કે હુમલો કરે તેવી સંભાવના હોય તો પણ આગોતરા જાણ કરવાની યોગ્ય પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી તથા ભાણવડ પો.સ.ઇ.ને તાકીદે પગલા લેવા જણાવેલ હતું.

આવેદનપત્ર તથા રજુઆતમાં ભાણવડના હિતેન્દ્રસિંહ જાડેજા, ઇમરાન ગઢકાઇ, રવિ પરમાર, નીરજસિંહ જેઠવા તથા ખંભાળીયાના હિતેન્દ્રભાઇ આચાર્ય, સાગર પરમાર, કૌશલ સવજાણી, કરણ જોશી, નીલેશ ગઢવી, મુકેશ મોકરીયા, જય ગોસ્વામી સીહતના જોડાયા હતા.

(12:42 pm IST)