Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિસાવદરના કાલાવડમાં અગાસી પરથી ખાબકતા સગીરનું મૃત્યુ

જુનાગઢ તા. ૧પઃ વિસાવદર તાલુકાના કાલાવડ ગામનો ઉદય ભીખુભાઇ પરમાર (ઉ.વ. ૧૪) નામનો તરૂણ મકાનની અગાસી પરથી અકસ્માતે નીચે ખાબકતા તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઇ હતી.

આથી ઉદયને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન ઉદયનું કરૂણ મોત થતા પરિવારમાં ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઇ હતી.

(11:07 am IST)