Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામનગર મ્‍યુનિ. કમિશનર દ્વારા શિક્ષકો સાથે ડેન્‍ગ્‍યુ અટકાયત માટે પરિસંવાદ યોજાયો

 જામનગરઃ આજરોજ ટાઉનહોલ ખાતે કમિશનરશ્રી સતીશ પટેલ દ્વારા જામનગરની સરકારી પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળાઓ, કોલેજોના શિક્ષકો સાથે ડેન્‍ગ્‍યુ અટકાયત માટે જાગૃતિલક્ષી પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં શિક્ષકો સાથે તંત્ર દ્વારા શહેર અને જિલ્લા કક્ષાએ કરવામાં આવતી ડેન્‍ગ્‍યુ અટકાયતની કામગીરીની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ ડેન્‍ગ્‍યુ નાબુદી જન-અભિયાનમાં શિક્ષકો દ્વારા શાળાઓમાં બાળકોને જાગૃત કરી ડેન્‍ગ્‍યુ વિરોધી ‘બાળ સૈનિકો'પરિવારના વડીલો ને પણ આ અભિયાનમાં જોડે તે માટે કમિશનરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. બથવાર, મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયતના આરોગ્‍ય કર્મીઓ તેમજ બહોળી સંખ્‍યામાં શિક્ષકગણ ઉપસ્‍થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્‍વીર.

(10:34 am IST)