Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

પોરબંદરની આઇટીઆઇ બેરોજગાર યુવાનો માટે આવતીકાલે ભરતી મેળો

કોલલેટર મળેલ ન હોય તેમજ રોજગાર કચેરીમાં નામ નોંધણી નહી કરાવનારા ઉમેદવારો હાજર રહી શકશે

પોરબંદર તા. ૧પ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા આવતીકાલે તા.૧૬ સવારે ૧૧ કલાકે આઇ.ટી.આઇ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્‍છું વચ્‍ચે સેતુરૂપ ઔદ્યોગીક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્‍યાઓ માટે માનવ બળની જરૂરીયાત હોય, જે અંતર્ગત ઇચ્‍છા ધરાવતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોએ સ્‍વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્‍થિત રહેશે.

આ ઓપન જોબફેર હોય કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદામાં આવતા હોય તો સ્‍વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.

જોબફેરમાં આપની લાયકાત અનુભવના તમામ પ્રમાણપત્રો અસલ અને નકલ તેમજ લીવીંગ સર્ટી, માર્કશીટ આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને ચાર નંગ પાસ પોટ સાઇજના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. આ ભરતી મેળામાં દિવ્‍યાંગ ઉમેદવારો માટે જગ્‍યાઓ ના હોય દિવ્‍યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજરી આપવી નહી. અનુબંધમ પોર્ટલ તથા મોબાઇલ એપ દ્વારા પણ રોજગારીની તક મેળવી શકો છો. અનુબંધમ પોર્ટલ રજીસ્‍ટ્રેશન લિન્‍ડ https://anubandham. jujarat. gov.in/account/signup વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્‍પલાઇન પર કોલ કરો. હેલ્‍પ લાઇન નંબર ૬૩પ૭ ૩૯૦ ૩૯૦ છે.

(1:35 pm IST)