Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેવભૂમિ જિલ્લામાં નવા પાંચ કેસની સામે ૧૭ ડિસ્ચાર્જઃ બે ના મોત

ખંભાળિયા તા.૧પ : દેવભુમિ જિલ્લામાં ગઇકાલે કોરોના નવા પાંચ કેસ નોંધાયા છે. જયારે ૧૭ ડિસ્ચાર્જ થયા છે. ભાણવડમાં એક દ્વારકામાં બે તથા ખંભાળિયામાં બે પોઝીટીવ નોંધાયા છે. જયારે દ્વારકામાંથી આઠ, કલ્યાણપુરમાંથી બે તથા ખંભાળિયામાંથી સાતને ડિસ્ચાર્જ કરાયા છે.

ભાણવડના મોડપર ગામે વાડી વિસ્તારમાં રહેતી મધુ મેરામણ ભેડા (ઉ.વ.૩૬), દ્વારકા સિધ્ધનાથ રોડ પર રહેતા ભગવાનજી માધવજી પાઉં (ઉ.વ.૭૪) પાંચહાટડી ચોક ચોકસી વિસ્તારના પાસે રહેતા ખંભાળિયાના નરેન્દ્રભાઇ છોટાલાલ ઉ.વ.પ૯ રામ મંદિર સલાયા પાસે રહેતા જલ્પેશ જયંતિલાલ સોનગરા તથા દ્વારકા અવોલપાડામાં રહેતા જોશનાબેન કિશોરભાઇ મજીઠીયા ઉ.૪૬ વાળાને ખંભાળિયા દાખલ કરાયા છે.

૧૩ કંન્ટેટમેન્ટ ઝોન જાહેર થયા

આરોગ્ય તંત્રની વિચિત્રતા હોય છે કે પોઝીટીવ કેસ નીકળે તેના કરતા કન્ટેટમેન્ટ ઝોન વધુ થાય છે. ગઇકાલે પાંચ પોઝીટીવ કેસની સામે તો નવા કંટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જેમાં ખંભાળિયા ગોપીબાઇ સ્કુલ પાસે  અતુલ હેમશંકર નાકરનું ઘર, ખેતવાડીમાં દયાળજી કરસન કણઝારીયા સહિત ત્રણ ઘર, મિલન ચાર રસ્તા પાસે જીવા દિ'પ કણઝારીયા સહિત બે ઘર, નવાપરા શે.નં.પાંચમાં સુરેશ મનજી કણઝારીયા, સહિત બે ઘર, ધીરજ રામજી ચાવડાનું ઘર નવાપરા દા.સ. ગર્લ્સ સ્કુલ પાસે, માધવન ત્રિકમ દાવડા સહિત બે ઘર ગાયત્રીનગર ખંભાળિયા રેવજી કવાર્ટર મામલતદાર ઓફિસ પાછળ ખંભાળિયા, નરેન્દ્ર છોટાલાલ ધ્રુવનુ઼ ઘર પાંચ હાટડી પાસે ખંભાળિયા, કરસન કારા ગોમીયાનું ઘર નેસવાડી ભાણડ, નીલેશ નટવરલાલ ડોડીયાનું ઘર જકાતનાકા પાસેભ ાણવડ, જય કિશન દુધરેજીયા સહિત ત્રણ ઘર દુધેશ્વર મહાદેવ પાસે ભાણવડ તથા દ્વારકામાં ગફાર દાઉદ સહિત બેઘર બિરલા પ્લોટમાં કંટેટમેટ ઝોન જાહેર કરાયા છે.

પોઝીટીવ આંક સંતાડાય છે

દ્વારકા જિલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંક રહસ્યમય રીતે સંતાડવામાં આવતો હોવાનું તથા તેમાં ઢાંક પીછોડો કરવાની નીતિ આરોગ્ય તંત્રને ભારે ચર્ચાસ્પદ બની છે. છેલ્લા ચોવીસ કલાકમાં જામનગરમાં સારવાર લેતા દ્વારકા તથા ખંભાળિયાના એક એક એમ બે વ્યકિત સત્તાવાર મૃત્યુ પામ્યાનું જામનગર જી.જી.માં નોંધાયુ છે. પણ દ્વારકા જિલ્લામાં આ બે મૃત્યુ દેખાડયા નથી. અગાઉ કોવીડથી મરણ જનાર ૧૮ હતા જયારે નવા આંકડામાં કોવીડથી અત્યાર સુધીમાં મરણ જનાર માત્ર છ જ દેખાડાયા છે.

(12:53 pm IST)