Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અંજાર -ગાંધીધામના કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા વધારવા માર્ગદર્શન

ભુજ,તા.૧૫: રાજયના આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરે, કચ્છ ખાતેના કોવિડ૧૯ માટે ના પ્રભારી રાજકુમાર બેનિવાલ અને જિલ્લા કેલેકટર પ્રવિણા ડી. કે. એ સયુંકત રીતે અંજાર એસ.ડી.એમ.કચેરી ખાતે અંજાર-ગાંધીધામ વિસ્તારમાં કોવિડ-૧૯ના સંક્રમણ ને રોકવા સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં આ વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ની સંખ્યા વધારવા પર ભાર મુકયો હતો. આ તમામ હોસ્પિટલોમાં દર્દીઓને સારી ગુણવત્ત્।ાનું ભોજન તેમજ મિનરલ વોટર પૂરું પાડવા માટે તાકીદ કરી હતી.

આ તમામ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં હેલ્પડેસ્ક અને હેલ્પલાઇન નં. શરૂ કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુકયો હતો.

આ ઉપરાંત તમામ એસ.ડી.એમ. કચેરીઓ પર કમાન્ડ અને કંટ્રોલ રૂમ શરૂ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં સ્થાનિક અધિકારીઓ, ડોકટર્સ અને કર્મચારીઓના રીવ્યુ મેળવી જરૂરી મેન પાવર ફળવવા અને સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, ડી.આર.ડી.એના ડાયરેકટરશ્રી મેહુલ જોશી, અંજાર પ્રાંત ડો. વી.કે.જોષી, કચ્છ ખાતેના સ્ટેટ લાયજન અધિકારી ડો. માઢક, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, અંજાર વિસ્તારના ડી.વાય.એસ.પી. તેમજ અંજાર-ગાંધીધામ વિસ્તારની કોવિડ-૧૯ હોસ્પિટલોનાં ડોકટર્સ અને વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)