Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ઉપલેટા શહેરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાના ૩ બનાવ નોંધાયા

ઉપલેટા : ઉપલેટા અહીંયા જુદા જુદા વિસ્‍તારમાં ૩ જેટલા લોકો એ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાના બનાવ બનતા પામેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કોલકી રોડ ઉપર રહેતા અશોકભાઇ ડાભીએ તેમના ઘરે કોઇ અગમ્‍ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરતા મોત થયેલ હતું. જયારે બીજા બનાવમાં પોલીસ લાઇન સામે રહેતા મુળરાજસિંહ મહોબ્‍બતલ્‍સિંહ જાડેજા ઉ.વ.ર૭ વાળો તેમના ઘરે પ્‍લાસ્‍ટીકની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા મોત થયેલ હતું. અન્‍ય ત્રીજા બનાવમાં બસ સ્‍ટેન્‍ડની સામે આવેલ વણકર વાસમાં રહેતી અલ્‍પાબેન અમરશીભાઇ પરમાર ઉ.વ.ર૭એ આજે સવારે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા મોત થયેલ હતું. આ અંગે ઉપલેટા શહેરમાં એક જ દિવસમાં ૩ આપઘાત ના કેસ બનતા ઉપલેટા શહેરમાં ચર્ચાની સાથે દુઃખની લાગગણી પ્રવર્તતેલ હતી.

(11:02 pm IST)