Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમરેલી જિલ્લા દૂધ સંઘમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, સંઘાણી સહિત 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણીએ માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી

અમરેલીઃ અમરેલી જિલ્લા દૂધ સંઘમાં 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમરેલી જિલ્લા દૂધ સંઘની ચૂંટણી માટે 8 જુલાઈએ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ માટે 30 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે ચૂંટણી યોજવાની જરૂર પડશે નહીં. કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

 

જે 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઈ  રૂપાલા અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપભાઈ  સંઘાણીનો પણ સમાવેશ થાય છે. દર વખતે જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં દર વખતે તમામ ઉમેદવારો બિનહરીફ જ ચૂંટાય છે અને આ પરંપરા પણ યથાવત રહી છે. ભાજપના નેતા દિલીપભાઈ  સંઘાણીએ તેને માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી છે. 

બિનહરીફ જાહેર થયેલા નામો આ મુજબ છે
1.દિલીપ સંઘાણી
2.પરષોતમભાઈ રૂપાલા 
3.અશ્વિનભાઈ સાવલિયા
4.મુકેશભાઇ સંઘાણી 
5.ભાવનાબેન ગોંડલિયા 
6.રાજેશભાઈ માંગરોળિયા
7.ચંદુભાઈ રામાણી
8.રેખાબેન હરેશભાઈ કાકડિયા
9.ઠાકરશીભાઈ શિયાણી
10.ભાનુબેન બુહા
11.અરુણાબેન  માલાણી
12.અરુનભાઇ પટેલ 
13.ભાવનાબેન સતાસિયા
14.રામજીભાઇ કાપડિયા 
15.જયાબેન રામાણી
16.કંચનબેન ગઢીયા

(11:56 pm IST)