Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ કેસ ૩૭૦, મૃત્યુ આંક ૧૦ થયો

જુનાગઢના ૬પ સહિત ૧પ૩ કેસ એકટીવ

જુનાગઢ તા.૧પ : જુનાગઢ જિલ્લામાં ગઇકાલે એક જ દિવસે કોરોનાની ત્રણ વ્યકિતના મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે. જયારે કુલ કેસ ૩૭૦ થયા છે.

જુનાગઢ શહેર અને જિલ્લાના કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે. ગઇકાલે જુનાગઢના સુભષનગરનાં પ૯ વર્ષીય પુરૂષ તથા કુંભારવાડા વિસ્તારનાં ૭પ વર્ષીય મહિલાનું અને બગડુ ગામના ૭ર વર્ષીય પુરૂષનું કોરોનાથી મૃત્યુ થયેલ. આ સાથે મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે.

મંગળવારે વધુ રપ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૩૭૦એ પહોંચ્યો હતો. ગઇકાલે વધુ ૧ર દર્દી ડિસ્ચાર્જ થયા હતા. હજુ જુનાગઢના ૬પ કેસ સહિત કુલ ૧પ૩ કેસ એકટીવ છે.

(1:07 pm IST)