Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સુરેન્દ્રનગરમાં કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને રજા અપાઇ

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની તેજસભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ ,અહેમદ અબ્દુલભાઈ, હસમુખભાઈ અને મહમંદભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ છ  દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

(11:41 am IST)