Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોંડલ વિદ્યાર્થીઓની સામાયિક કસોટી અંગે આવેદન

ગોંડલઃસરસ્વતી શિશુ મંદિરના ટ્રસ્ટી મહેશભાઈ ચવાડિયા, વ્યવસ્થાપક હરેશભાઇ સોજીત્રા અને પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલા એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રશાંતભાઈ પરમાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જુલાઈ – ૨૦૨૦ નાં અંતમાં ધો. ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની સામાયિક કસોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, પરંતુ વર્તમાન કોવીડ – ૧૯ મહામારીનાં સંક્રમણનાં સંકટ કાળમાં ધો. ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટી લઈએ તો મૂળ ઉદેશો કોઈ રીતે જળવાય તેમ નથી. ઉલટાનું, આ કસોટી લેવા જતા સ્વાસ્થ્ય ને લગતી તથા સામાજિક અને શૈક્ષણિક એવી અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય તેમ છે. શિક્ષકોને વિદ્યાર્થીઓનાં ઘેર ઘેર કસોટીપત્રો પહોંચાડવા કે પરત લેવાથી શિક્ષક, વિદ્યાર્થી અને વાલી પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો થાય તેમ છે.

(11:39 am IST)