Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મોરબીમાં બે મહિલા સહીત ત્રણ લોકોનો ગળેફાંસો ખાઈને આપઘાતથી અરેરાટી

 મોરબી: શહેરમાં બે મહિલા સહીત ત્રણ લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર જાગી છે પ્રથમ બનાવ વજેપર વિસ્તારમાં ભાંડિયાની વાડીમાં બન્યો  જેમાં રસિલાબેન શાંતિભાઈ નકુમ (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો જેમાં તેને 11 માસનો યશ નામનો પુત્ર હોય જે બીમાર રહેતો હોય અને પતિને કામકાજમાંથી સમય મળતો ના હોય અને તે જ પુત્રને દવાખાને લઈ જતા હોય જે બાબતે લાગી આવતા આપઘાત કર્યો છે

  બીજા બનાવમાં મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતી રેશ્માબેન મોસિનભાઈ ખોખર (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જેનો લગ્નગાળો દોઢ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે ત્રીજો બનાવ રવાપર ગામે બન્યો હતો જેમાં રવાપર ગામના રહેવાસી ભાર્ગવ પ્રમોદભાઈ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે એ ડિવિઝન પોલીસે આપઘાતના બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(8:06 pm IST)