Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ર૪ કલાકમાં જુનાગઢ જિલ્લામાં ૩૦ કેસઃ મોત ઝીરોઃ મેંદરડા કોરોના મુકત

વંથલીમાં ફરી એક કેસની એન્ટ્રી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ ર૪ કલાકમાં જુનાગઢ જિલ્લામાં ૩૦ કેસ નોંધાવાની સામે મોતનો આંક ઝીરો રહ્યો છે.

જિલ્લામાં કોરોના કેસનો દૈનિક આંક સ્ટેબલ રહ્યો છે. ગઇકાલે જુનાગઢ સીટીનાં નવા ૧ર કેસ સહિત જિલ્લામાં કુલ ૩૦ કેસ નોંધાયા હતા.

જેમાં રવિવારે મેંદરડામાં એક કેસ આવ્યા બાદ ગઇકાલે કેસ ઝીરો થતાં મેંદરડા કોરોના મુકત થયેલ છે.

જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે અને ર૪ કલાકમાં જિલ્લાનાં રૂરલ એરિયામાં માત્ર ૧૮ કેસ આવતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે.

બીજી તરફ જુનાગઢ શહેરનાં ૧૦ સહિત જિલ્લાનાં કુલ ર૯ દર્દીઓએ કોરોનાને પરાજય આપ્યો છે.

ગઇકાલે પણ સતત બીજા દિવસે સદનસીબે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું.

(11:58 am IST)