Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સાવરકુંડલામાં સહાય કરનાર હનીફભાઇનું સન્‍માન

 સાવરકુંડલા : વાવાઝોડાની પરિસ્‍થિતિમાં નુકશાન પામેલા વ્‍યક્‍તિઓને ખુલ્લા હાથે સહાય કરનાર દાતા હનીફભાઈ શેખણીનું સન્‍માન કરવામાં આવેલ હતું. તાજેતરમાં તોકેત વાવાજોડાથી ભારે નુકશાન થયેલ હતું ત્‍યારે તે નુકશાની પામેલા ગરીબ માણસોને પોતાની જરૂરિયાત મુજબ અને હનીફભાઈ શેખણી એ પોતાની યથા શક્‍તિ પ્રમાણે મદદ અને સહાય કરી હતી ગરીબ લક્ષી સેવા અને સહાય કરનાર અને ગરીબોના દુઃખ માં ભાગ લેનારᅠ હનીફભાઈ શેખણીની નિઃસ્‍વાર્થ સેવાને બિરદાવવા મુસ્‍લિમ સિપાહી જમાતના ઉપપ્રમુખ અને પત્રકાર ઈંદ્રિશભાઈ જાદવે ફૂલ હાર પહેરાવી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(10:38 am IST)