Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫૦૧૪ વ્યકિતઓ કોરન્ટાઇન મુકત થયા

દ્વારકા તા. ૧૫ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમ કવોરોન્ટાઇન તથા સરકારી કોરોન્ટાઇન તથા વોર કોરન્ટાઇન વિ. વિસ્તારોમાં રહેતા ૫૦૧૪ વ્યકિતઓ કોરોન્ટાઇનમાંથી મુકત થયા છે. અત્યાર સુધીમાં ૬૯૩૪ વ્યકિતઓના આગમન થયા બાદ હાલ દ્વારકા જિલ્લામાં હોમ કવોરોન્ટાઇન ૮૬૨ છે.

કોરોન્ટાઇન સ્થળોમાં હવે જે તે ગામની શાળાઓનો સમાવેશ કરાયો છે તથા શાળાઓમાં રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થા તેના સગા-સંબંધીઓ કરે છે તથા સરપંચો તથા તલાટી મંત્રીઓ વ્યવસ્થા કરે છે.

કુહાડિયા પાસે આદર્શ નિવાસી શાળામાં સરકારી કવોરોન્ટાઇન થયેલા પૈકી સલાયાના સાતના પોઝીટીવ કોરોના નીકળતા લોકોમાં ભય ફેલાયેલો છે તેની સાથે રહેનારા કેટલાને આ સંક્રમણ થયું હશે? પરંતુ કુહાડિયામાં રહેતા તમામ સરકારી કોરોન્ટાઇનના વ્યકિતઓના રીપોર્ટ કરવામાં આવેલા હતા. જેમાંથી આ સાત જ પોઝીટીવ નીકળ્યા છે. બાકીના નેગેટીવ જ નીકળ્યા છે જેથી લોકોને રાહત થઇ છે.(

(1:11 pm IST)