Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ધોરાજી કોંગ્રેસ શાસીત પાલિકાના વોર્ડ નં.૫ના ર નગરસેવકોના ચેરમેનપદેથી રાજીનામાં

અવગણના અને વિકાસ કાર્યો મુદ્દે આક્રોશ ઠાલવ્યો

ધોરાજી તા. ૧પઃ ધોરાજી કોંગ્રેસ શાસીત પાલિકાના વોર્ડ નં. પ નાં ર નગરસેવકો પ્રફુલભાઇ વઘાસીયા અને જાગૃતિબેન ધર્મેશભાઇ રાજયગુરૂએ અવગણનાં અને વિકાસ કાર્યો મુદ્દે રાજીનામા આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. રાજીનામા આપનાર પ્રફુ઼લભાઇ વી. વઘાસીયાએ કરવેરા સમિતિના ચેરમેનપદેથી રાજીનામું આપતા જણાવ્યું છે કે અમે કોઇ વિપક્ષ સદસ્ય હોય તે રીતે રજુઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ ઉપરાંત જાગૃતિબેન ધર્મેશભાઇ રાજયગુરૂએ જણાવ્યું છે કે, અમારી સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે. જેથી ચેરમેનપદેથી રાજીનામું આપું છું.

(11:46 am IST)