Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગોંડલના પત્રકારોને એન-૯પ માસ્કનું વિતરણ

 ગોંડલ મેઘવાળ સમાજના આગેવાન અને સરકારી દવાખાને દર્દી નારાયણની સેવામાં કાર્યરત રહેતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માઘડ દ્વારા શહેરના પત્રકારોની ચિંતા કરી એન-૯પ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિનેશભાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોનાનો કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં પત્રકારો કોરોના સંક્રમણથી તેઓ સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. પત્રકાર જીતુભાઇ આચાર્યએ જણાવ્યું કે દિનેશભાઇ દ્વારા પત્રકારોની ચિંતા કરવામાં આવી તે સરાહનીય છે. તમામ પત્રકારો દિનેશભાઇનો આભાર વ્યકત કરી રહ્યા છે પત્રકારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર

(10:53 am IST)