Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગોંડલમાં ભૂવનેશ્વરી માતાજીનો પાટોત્સવ

 ગોંડલઃ ભગવતી ભુવનેશ્વરી માતાજીનો ૭૪ મો  પાટોત્સવ વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરકાર શ્રી ના નીતિ નિયમ ને લોકડાઉન ને ધ્યાનમાં લઈ ને ભગવતીની રાજોપચાર પૂજા તેમજ શતચંડી મહાયજ્ઞ પુ.શ્રી . ઘનશ્યામ જી ના આશીર્વાદ સાથે તેમજ પૂ. ડો. રવિદર્શન જી ની નિશ્રામાં થઇ રહેલ છે.સવંત.૧૯૪૬ માં ભગવતી ની પ્રતિષ્ઠા વૈશાખ વદ ૫ થી વૈશાખ વદ ૯ સુધી ગોંડલ ના રાજવી પરિવાર સર ભોજરાજ સિંહ ના વરદ હસ્તે બ્રહ્મલીન આચાર્ય શ્રી ચરણ તીર્થ મહારાજ ની નિશ્રામાં થયેલ હતી જેમાં પહેલી રાજોપચાર પૂજા મહારાજા ભોજરાજ સિહજી તથા મહારાજા એ કરેલ છે.પાટોત્સવ પૂજન તથા શણગાર દર્શનની તસ્વીર.

(10:15 am IST)